પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો ?

પોર્ટુગીઝ સત્તાનો અંત :

17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોએ બંગાળમાં વેપાર માટે પગપેસારો કર્યો. બંગાળના સૂબાએ પોર્ટુગીઝોની પ્રવૃત્તિઓ સામે મુઘલ બાદશાહ શાહજહાંને ફરિયાદ કરી. શાહજહાંના આદેશથી પોર્ટુગીઝોની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને તેમનાં વહાણો સળગાવી દેવામાં આવ્યા. આ રીતે બંગાળમાં પોર્ટુગીઝોની સત્તાનો અંત આવવા લાગ્યો. પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા સુધી મર્યાદિત રહી.

Read More  બકસરની લડાઈ શાથી થઈ ? તેનું શું પરિણામ આવ્યું ?
Sharing Is Caring:

Leave a Comment