ભારતદેશને શા માટે ‘પ્રજાસત્તાક દેશ’ કહેવામાં આવે છે ?

ભારતમાં સરકારને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે લોકો પાસેથી સત્તા મળે છે. આ કારણે ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ છે. દેશનું શાસન કોઇ વિશિષ્ટ વર્ગના હાથમાં નથી.

રાજ્યવહીવટના તમામ હોદ્દાઓ ધર્મ, જાતિ અથવા સ્ત્રી-પુરુષના ભેદભાવ વિના દરેક માટે ખુલ્લા છે. ભારતની પ્રજા ચુંટણી દ્વારા કોઇપણ સરકારને પદભ્રષ્ટ કરીને નવી સરકાર રચવાની સાર્વભૌમ સત્તા ધરાવે છે. આથી ભારતને ‘પ્રજાસત્તાક દેશ’ કહેવામાં આવે છે.

Read More  પૃથ્વી પરનાં આવરણોનો પરસ્પર શો સંબંધ છે ? કઈ રીતે ?
Sharing Is Caring:

Leave a Comment