ભૂલી જવાની શક્તિ આપણા અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે.

ભૂલી જવાની શક્તિ આપણા અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે.

અર્થગ્રહણ : ભૂલી જવાની શક્તિ આપણા અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે.

ભૂલી જવાથી ઘણી સમસ્યાઓ નું સમાધાન મળી જતું હોય છે, કારણ કે જો વ્યક્તિ દરેક બાબત જો પોતાના મગજમાં યાદ રાખે તો તે મોટી મુસીબતમાં મુકાઈ જાય. એટલે કુદરતે આપણને એવી રચના કરીને આપી છે કે જે જૂની વાતો છે, આપણને ગમતી નથી તે અમુક સમય પછી તે ભુલાઈ જાય છે.

અને તેના કારણે જ માણસ પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. જો વ્યક્તિ બધું જ પોતાના મનમાં રાખીને બેસી રહે તો તે અંદર ને અંદર ગુંચવાયા કરે છે અને એકબીજા પ્રત્યે વેર લેવાની ભાવના ધરાવે છે.

જેના કારણે તે દિવસેને દિવસે કોઈ બીજી મુસીબતમાં પડતો જાય. તેથી ભૂલી જવુ એ માણસના અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે, અને માણસે પણ પોતાની જૂની યાદો એટલે કે ભૂતકાળને ભૂલીને હંમેશા આગળ જનાર વ્યક્તિ જ હંમેશા સફળ થાય છે.

Read More  જ્યારે સલામત હોઈએ ત્યારે વિતેલી મુસીબતોના સ્મરણો વધુ મધુર લાગે છે.
Sharing Is Caring:

Leave a Comment